:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

Showing posts with label PASSPORT. Show all posts
Showing posts with label PASSPORT. Show all posts

18 July 2017

હવે પાસપોર્ટના વેરિફિકેશન માટે પોલિસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, જાણો શું છે કારણ By : News


5-Government Eases Rules For Passport Application
અમદાવાદઃ ટૂંક સમયમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન તથા ઘરઘાટીઓની વિગતો જમા કરાવવા માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી છૂટકારો મળશે. ઈ-ગુજકો પ્રોજેક્ટ અંતર્ગત સિટીઝન પોર્ટલ પાસપોર્ટ માટેનું વેરિફિકેશન અને ઘરઘાટીની નોંધણી હવે ઓનલાઇન કરાવી શકશે.2-fake passportરાજ્યના ગૃહવિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરી હાથ ધરાઇ છે. આ પ્રોજેકટ હેઠળ પોલીસની કામગીરીના મૂલ્યાંકનની કામગીરી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સોંપવામાં આવી છે. જે અંતર્ગત હવે નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા નહીં પડે. પોલીસ સ્ટેસન પર પાસપોર્ટ વેરિફિકેશન જતા સમયે કેટલીક વખત કલાકોના કલાકો સુધી લાઇનમાં પણ બેસી રહેવું પડે છે. જેના કારણે ઘણી વખત પોલીસ અને નાગરિક વચ્ચે ઘર્ષણ પણ ઊભું થતું હોય છે.1-Government Eases Rules For Passport Applicationશહેરમાં ઘરઘાટીઓ દ્વારા થતા હત્યા, લૂંટ જેવા અનેક મામલે નિયંત્રણ લાવવા માટે શહેર પોલીસ કમિશનરે ઘરઘાટીઓની તમામ વિગતોની નોંધણી જે તે પોલીસ સ્ટેશનમાં કરાવવા માટેનું જાહરનામું બહાર પાડ્યું છે. આ માટે ફોર્મ ભરીને તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે.3-Government Eases Rules For Passport Applicationગૃહ વિભાગે ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અતર્ગત સિટીઝન પોર્ટલ શરુ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન ‌સિટીઝન પોર્ટલ અંતર્ગત મોબાઇલ એપ પણ શરૂ કરાશે. પાસપોર્ટ વેરિફિકેશન માટે લોગ ઇન આઇડી મેળવ્યા બાદ વોટર આઇ ડી કાર્ડ, ઇલેકશન કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ કે પાસપોર્ટની વિગતો અપલોડ કરવાની રહેશે. આ વિગતોના આધારે જે તે પોલીસ સ્ટેશન દ્વારા વેરિફિકેશન કરી દેવાશે. ઘરઘાટીની ઓનલાઇન નોંધણી માટે અરજદારે પોતાના તથા ઘરઘાટીના ઓળખ અને રહેઠાણના માન્ય પુરાવા અપલોડ કરવા પડશે.   
પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ તૈયાર થઇ ગયું હોય ત્યારે તેની જાણકારી સિનિયર સિટીઝન પોર્ટલ અથવા તો એસએમએસથી મળી જશે. આ અંગે ઇ-ગુજકોપના પ્રોજેકટ સંભાળતા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એસપી અશોકકુમારે જણાવ્યું છે કે સિટીઝન પોર્ટલ અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન અને ઘરઘાટીના ફોર્મની નોંધણી ઓનલાઇન કરી શકાશે જેના માટે કોઇ પણ નાગરિકને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. પોલીસ વેરિફિકેશન માટે અરજદારના ઘરે જશે.

02 January 2017

પાસપોર્ટમાં જન્મના પ્રમાણપત્ર માટે 8 ડોક્યુમેન્ટ્સ માન્ય, જાણો સરળ પ્રોસેસ

પાસપોર્ટમાં જન્મના પ્રમાણપત્ર માટે 8 ડોક્યુમેન્ટ્સ માન્ય, જાણો સરળ પ્રોસેસ
divyabhaskar | Jan 02,2017 11:08 AM
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનાવવા માટેના નિયમોને વધુ ઉદાર અને આસાન બનાવવા નવાં નિયમોની જાહેરાત કરી છે. જે અંતર્ગત પાસપોર્ટ બનાવવા માટે અરજદાર જન્મના પ્રમાણ તરીકે હવે 8 પૈકી કોઇ એક ડોક્યુમેન્ટ્સ રજૂ કરી શકશે. નવા નિયમથી તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મેલા અને પાસપોર્ટ માટે અરજી કરનારા ભારતીય નાગરિકોને ફાયદો થશે.
- જન્મનું પ્રમાણપત્ર
- માર્કશીટ.
- પન કાર્ડ
- જન્મ તારીખ
- આધાર કાર્ડ
- ઇ-આધાર કાર્ડ
- સરકારી કર્મચારી હોય તો સર્વિસ રેકોર્ડની કોપી
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- ચૂંટણી ફોટો ઓળખકાર્ડ
પાસપોર્ટ નિયમાવલી 1980 ના વર્તમાન વૈધાનિક જોગવાઇઓ મુજબ તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મનાર અરજદારોને પાસપાર્ટ બનાવવા માટે જન્મ તારીખના પ્રમાણ તરીકે જન્મનું પ્રમાણપત્ર(બર્થ સર્ટિફિકેટ) આપવું અનિવાર્ય હતું. પરંતુ હવે નિર્ણય કરાયો છે કે, આવા અરજદારો જન્મ તારીખના પ્રમાણ માટે 8 પૈકી કોઇએક દસ્તાવેજ રજૂ કરી શકશે.
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં સિંગલ પેરેન્ટ અને દત્તક લેવાયેલા બાળકોને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવતા નિયમોમાં ફેરફાર કરાયો છે. માટે વિદેશ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારીઓની બનેલી 3 સભ્યોની સમિતિએ સુપરત કરેલા રિપોર્ટને વિદેશ મંત્રાલયે સ્વીકારી લીધો છે.
- ઓનલાઇન પાસપોર્ટ માટેની અરજીમાં હવે માતા-પિતા અથવા કાનૂની વાલીના નામ પૈકી કોઇ એકનું નામ આપવું પડશે. જેનાથી સિંગલ પેરેન્ટ્સના બાળકોનો પાસપોર્ટ આપવામાં સરળતા રહેશે.
- અરજદારો દ્વારા વિવિધ મુ્દ્દાઓ પર આપવામાં આવતી જાણકારી સાદા કાગળ પર એક સ્વ-ઘોષણાના સ્વરૂપમાં હશે. હવે કોઇ એટેસ્ટેસન, શપથ, નોટરી, કાર્યકારી મેજીસ્ટ્રેટ, ક્લાસ વન ન્યાયિક મેજિસ્ટ્રેટની આવશ્યકતા નહીં રહે.
- વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે હવે પાસપોર્ટ માટે અપ્લિકેશન કરતી સમયે ડેટ ઓફ બર્થના આધાર માટે ટ્રાન્સફર/સ્કૂલ લિવિંગ/ મેટ્રીકુલેશન સર્ટિફિકેટ,પાન કાર્ડ અને આધાર કાર્ડ/ઇ આધારમાંથી કોઇ એક ડોક્યુમેન્ટ આપી શકાશે.
- સિંહે વધુમાં જણાવ્યું છે કે નવા રૂલ્સમાં પોતાના ડિપાર્ટમેન્ટ/મિનિસ્ટ્રીથી નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ ન મેળવી શકનારા ગર્વમેન્ટ સર્વન્ટ પણ હવે પાસપોર્ટ માટે અપ્લાય કરી શકે છે.
- સાધુ સંન્યાસીઓને માટે માતા -પિતાના નામને બદલે તેમના અધ્યાત્મિક ગુરુનું નામ માન્ય ગણવામાં આવશે.સિંગલ પેરન્ટવાળા માતા -પિતાના બાળકોને માટે પાસપોર્ટ પર માતા કે પિતા કે તેની સાથે સંકળાયેલા કાનૂની વ્યક્તિના નામને મંજૂરી આપવામાં આવી છે.
- સૌ પહેલાં જેની પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તેઓએ મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર  લેવાનું રહેતું નથી. હવે આધાર કાર્ડમાં ઉલ્લેખ કરાયેલી જન્મતિથિને માન્યતા આપવામાં આવી છે. આધારકાર્ડ સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, સ્કૂલનું પ્રમાણપત્ર  કે પછી મતકાર્ડની ઓળખને પણ જન્મ તારીખ માટે માન્ય ગણી શકાશે.
- પરિણિત લોકો માટે લગ્નના પ્રમાણપત્રની જરૂરિયાતને હટાવી દેવાયું છે. સરકારી લોકો કે કર્મચારીઓ માટેના પોતાના વિભાગથી પ્રમાણપત્ર લાવવાના નિયમને પણ હટાવી દેવામાં આવ્યો છે.

10 June 2016

માત્ર 3 પુરાવા આપી સાત દિવસમાં પાસપોર્ટ મેળવો ! (SANDESH NEWS)

પાસપોર્ટ બનાવનાર માટે અચ્છે દિન આવી ગયા છે. તમારે પાસપોર્ટ બનાવવા માટે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નથી. હવે તમે માત્ર  7 દિવસમાં તમારો પાસપોર્ટ બનાવી શકો છો. તેના માટે તમારે માત્ર 3 જ પુરાવા આપવાના રહેશે. જેમાં આધાર કાર્ડ, વોટર આઇડી અને પાનકાર્ડ માન્ય ગણવામાં આવશે. આ સાથે જ તમારા વિરૂદ્ધ કોઇ ક્રિમિનલ કેસ નથી એવું સોગંદનામું આપવું પડશે.
આ સોગંદનામું ત્રણ પુરાવાની સાથે આપવું રહેશે. જે પછી પાસપોર્ટ ફકત સાત દિવસમાં ઇશ્યૂ કરી દેવામાં આવશે. થોડા અઠવાડિયા પહેલાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ બાબતે ટ્વિટ પણ કર્યુ હતું.
દેશમાં વર્ષ 2014માં 98 લાખ 80 હજાર પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા. આ પછી 2015 સુધી દેશમાં 6 કરોડ 33 લાખ લોકો પાસે પાસપોર્ટ હતો. દેશમાં 37 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે જ્યાં પાસપોર્ટ બનાવવામાં આવે છે. પાસપોર્ટ સેવાથી સરકારને વાર્ષિક 2 હજાર કરોડથી વધુની આવક થાય છે.

16 February 2015

પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી

હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!
ઓળખનો પૂરાવો અને સરનામાંનો પૂરાવો જેવા તમામ ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર
એક આધાર કાર્ડથી જ કામ ચાલી જશે. અરજીકર્તાએ અરજી કર્યાના ત્રણ દિવસની
અંદર અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. ઠીક તેના 7 દિવસ બાદ તમારો
પાસપોર્ટ તમારા હાથમાં હશે. એટલે કુલ મળીને માત્ર 10 દિવસની પ્રક્રિયામાં
તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને
જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યું છે.
પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે
માત્ર 10 દિવસની અંદર પાસપોર્ટ બની શકે છે. તેના માટે ઓનલાઇન અરજી કરવાની
રહેશે અને તેના માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી.
તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો. સાથે જ
શા માટે જરૂરી છે આધાર
સરકારે આધારની પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક ગતિવિધિઓની ખરાઈ કરવાની
પ્રણાલિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા અનુસાર જો કોઈ
પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો પહેલા તેને
આધાર કાર્ડ બનાવવું પડશે.
શા માટે થતું હતું મોડુ
ઉલ્લેખનીય છે કે, સરકારને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશનના મામલે સતત
ફરિયાદો મળતી હતી અને તેના કારણે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં મોડું થતું
હતું. અરજીકર્તાને સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અમે
તમને જણાવીએ કે અરજીકર્તા કેવી રીતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે
છે અને માત્ર 10 દિવસમાં પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે.
સ્ટેપ-1 પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો
સૌથી પહેલા

પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટની વેબ ઓપન કરવા અહીં ક્લિક કરો.
http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink


પેજ પર register nowની લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને
રજિસ્ટર કરો. તેમાં તમારી વિગતો ભરો. જેમ કે તમારૂ પાસપોર્ટ કાર્યાલય
ક્યું છે, જન્મ તારીખ અને ઇ-મેલ આઇડી. ઇ-મેલ આઇડી પર તમને લોગિન આઇડી મળી
જશે. ત્યાર બાદ તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું રહેશે.
સ્ટેપ-2 લોગિન કરો
ઇ-મેલ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરો.
ત્યાર બાદ યુઝર આઇડી નાંખો અને પછી પાસવર્ડ નાંખો. લોગિન થયા બાદ તમારે
એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઇશ્યૂ ઓફ
પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક
કર્યા બાદ 2 ભાગ હશે. બન્નેમાં તમારે જો ઓનલાઇન બનાવવો હોય તો બીજા ઓપ્શન
પર ક્લિક કરવું.
સ્ટેપ-3 વિકલ્પ પસંદ કરો
જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરતા હોવ તો તેના માટે અપ્લાઇ ફોર
ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે.
એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઘણા બધાં
ફોર્મ આવશે, તેમાં તમારી જાણકારી ભરવાની રહેશે. આ તમામ ફોર્મ ધ્યાનથી
ભરવા. એ વાતનું ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ
કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી
કરવામાં સમય લાગી શકે છે. તેનાથી સમય બરબાદ થાય છે.
સ્ટેપ-4 કૌટુંબિક વિગતો ભરવી
તમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે
આ પેજને યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને ગમે ત્યારે ખોલી શકશો. ત્યાર બાદ
આગળના પેજ પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે, જેમાં તમારી કૌટુંબિક વિગતો
ભરવાની રહેશે. તેને પણ સેવ કરીને તમારે આગળના પેજ પર જવાનું રહેશે. ત્યાર
બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરવાની રહેશે. ત્યાર બાદ
ઇમર્જન્સી કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે.
સ્ટેપ-5 ચૂકવણી અને મળવા માટેનો સમય નક્કી કરવો
'વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન' (View Saved/Submitted Applications)
સ્ક્રીન પર 'પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ' (Pay and Schedule
Appointment) લિંક પર ક્લિક કરી અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે મળવાનો
સમય બુક કરવો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલશે જ્યાં
તમારા પાસપોર્ટ બનાવવાની રકમની ચૂકવણી કરવાની રહેશે. અહીં ચૂકવણી તમે
ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ
દ્વારા કરી શકો છો.