:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

31 January 2017

શાળામાં અભ્યાસ કરતા બાળકોના આધારકાર્ડ ઍનરોલમેન્ટ તથા DBT ની કામગીરીને અગ્રતા આપવા બાબતનો પરિપત્ર. 31/01/2017

શાળા પુસ્તકાલયના પુસ્તકોનું સુઆયોજન અને અમલીકરણ કરવા બાબતનો પરિપત્ર. 30/01/2017

૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭ "માતૃભાષા દિવસ" ની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. 30/01/2017

गुणोत्सव- 7 मा आवेल अधिकारीगण ना फोटोग्राफ तथा विडीयो, अहेवाल बाबत आजनो परिपत्र. 30-1-2017


12 January 2017

03 January 2017

ATMમાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન પર હવે લાગશે ચાર્જ, જાણો કઈ બેન્ક વસૂલે છે કેટલો ચાર્જ

નોટબંધી બાદ આમ જનતાની પરેશાનીઓ દૂર થઈ જશે, અને બધું જ સારુ થઈ જશે તેવી બાહેંધરી સરકારે આપી હતી. જોકે નોટબંધી બાદ ATM અને ડેબિટ કાર્ડથી મફત ટ્રાન્ઝેક્સનના દિવસો જતા, આમ આદમી માટે બુરે દિન શરૂ થઈ ગયા છે. નોટબંધી બાદ રિઝર્વ બેંકે કરેલી અપીલને પગલે જાહેર અને ખાનગી બેંકોએ એટીએમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરના સર્વિસ ચાર્જ 31 ડિસેમ્બર સુધી માફ કર્યા હતા. જે પહેલી તારીખથી ફરીથી અમલી બની ગયા છે. 

ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ એન્ડ એટીએમ સર્વિસના પ્રેસિડેન્ટ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું છે કે પહેલા 5 ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. ત્યાર બાદ આ નિર્ણય બેંકોના વિવેકાધિકાર અને કસ્ટમરની કાર્ડ કેટેગરી પર નિર્ભર રહેશે. સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન ચાર્જ મુદ્દે બેંકો અને ગ્રાહકો વચ્ચે કરાર હોય છે. સામાન્ય દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને ICICI બેંક 5 ટ્રાન્ઝેક્શન બાદ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા વસૂલે છે. આ ત્રણ બેંકો દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંતની અન્ય બેંકો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા વસૂલતી હતી. 

મહત્વનું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા છતાં દેશભરમાં 20 ટકા એટીએમ જ કાર્યરત છે, ત્યારે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને સબ્સિડી પર ગંભીરતાથી વિચારી રહી છે. સરકારનો મત છે કે ટ્રાન્ઝેક્શનના ચાર્જ માત્ર ગ્રાહક જ કેમ ભોગવે. જોકે સરકાર જ્યાં સુધી કોઈ નવો નિર્ણય ન જાહેર કરે ત્યાં સુધી કાર્ડ સ્વાઇપ કરવાનો ખર્ચ તો ગ્રાહકના ખિસ્સા પર જ પડવાનો છે. 

CRC BRC ને પ્રતિનિયુક્તિ થી પરત કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર ૦૩-૦૧-૨૦૧૭

ક્લસ્ટર કક્ષાની બાકી રહેલી 2 દિવસ ની તાલીમ આયોજન અંગેનો પરિપત્ર. 03/01/2017

શિષ્યવૃત્તિ~ પોર્ટલ આવી ગયું.... શું તમને શિષ્યવૃત્તિ પોર્ટલ માં કેવી રીતે રજીસ્ટર કરવું તેં નથી ફાવતું તો જોઇ લો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ..