:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

21 April 2015

શું આપના બાળકને અંગૂઠો ચૂસવાની આદત છે?

ઘણાં બાળકોમાં અંગૂઠો ચૂસવાની આદત હોય છે. અમુક બાળકોને પહેલા વર્ષે જ આ આદત છૂટી જાય છે તો ઘણાં બાળકોને 6-7 વર્ષનાં થાય ત્યાંસુધી આ આદત છૂટતી જ નથી. ઘણી વખત આ સામાન્ય આદત બાળકમાં કોઈ પ્રકારની વર્તન સામસ્યા કે માનસિક સમસ્યા સૂચવે છે. આજે જાણીએ આ આદતનાં કારણો ને એનાથી કઈ રીતે પીછો છોડાવી શકાય. નાના બાળકને ચૂસવાની આદત હોય છે. બાળક જેવું જન્મે એવું તરત જ માતાનું ધાવણ ધાવી શકે છે. તેને કોઈએ શીખવાડવું નથી પડતું કે કઈ રીતે ચૂસી શકાય. તે તેને આવડે જ છે. ઘણાં બાળકો માતાના ગર્ભની અંદર પણ અંગૂઠો ચૂસતા હોય છે. બાળકની ચૂસવાની જરૂરિયાત પર વાત કરતાં પીડિયાટ્રિશ્યન કહે છે, 'ચૂસવાથી તેને તેનો ખોરાક મળે છે માટે જ તેની અંદર ભાવના જાગ્રત થાય છે અને એ ભાવના છે સંતોષની. નાના બાળકના શરીરમાં ઘણાબધા ફેરફાર થતા હોય છે. ખાસ કરીને પહેલા એક વર્ષમાં. આ ફેરફારો અને પોતાના વિકાસ સાથે તાલમેલ બેસાડવો એક નાનકડા બાળક માટે સહેલી વસ્તુ નથી. ચૂસવાથી બાળકને સુરક્ષાનો અનુભવ થાય છે. આ સંતોષ અને સુરક્ષા જ છે જેની બાળકને ઘણી મોટી ઉંમર સુધી ખૂબ જ જરૂર હોય છે.' નુકસાન અંગૂઠો ચૂસવાની આદત જો કોઈ બાળકને પમાં 4 વર્ષની ઉંમર સુધી હોય તો કોઈ ખાસ પ્રૉબ્લેમ થતો નથી. આ આદત ઘણી જ કૉમન છે અને એ ધીમે-ધીમે એની મેળે છૂટતી જાય છે. જો 4 વર્ષથી ઉપરના બાળકને આ આદત પડી હોય તો એ ચિંતાનું કારણ બની શકે છે. એ વિશે ડોકેટર કહે છે, 'ખાસ કરીને અંગૂઠો ચૂસવાને લીધે બાળકને વારંવાર ઇન્ફેક્શન થવાનો ડર રહે છે, કારણ કે હંમેશાં બાળકનો અંગૂઠો સાફ જ રહે એવું કહી શકાય નહીં. આ ઉપરાંત અંગૂઠો ચૂસવાને કારણે બાળકના દાંત ખરાબ આવે છે. ખાસ કરીને ઉપરના દાંત આગળ પડતા રહી જાય છે. આ ઉપરાંત ઘણાં બાળકો જે ખૂબ લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાની આદત ધરાવે છે તેમને બોલવામાં પણ થોડી તકલીફ પડે છે. કાં તો આવાં બાળકો મોડું બોલતાં શીખે છે અને કાં તો આવાં બાળકો અમુક અક્ષર બરાબર બોલી શકતાં નથી. આ આદતને છોડાવવા શું કરશો ? મોટા ભાગના લોકો ઘરગથ્થુ ઉપચાર અપનાવતા હોય છે જેમાં અંગૂઠા પર કડવાણી કે મરચું લગાવીને રાખે કે જેથી ખરાબ અનુભવ થતાં બાળક અંગૂઠો ચૂસવાનું ભૂલી જાય. ક્યારેક બાળકો માતા-પિતાનું અટેન્શન પામવા માટે પણ આવું કરતાં હોય છે. આવા સમયે તેની આ આદત વિશે કોઈ ચર્ચા જ ન કરો. તેને અવગણશો તો આદત આપોઆપ છૂટી જશે. ઘણી વખત એવું બને છે કે બાળકને જેની ના પાડો એ જ કરવાની તેને મજા આવતી હોય છે. ત્યારે તેને સીધી રીતે ના પાડવા કરતાં આડકતરી રીતે સમજાવો. જેમ કે તેની સામે એકબીજા સાથે વાત કરો કે ફલાણો છોકરો અંગૂઠો ચૂસતો હતો તો કેટલો ગંદો લાગતો હતો! ક્યારેય બાળકને આ આદતને કારણે ખિજાઓ નહીં કે તેનું અપમાન ન કરો. બધાની વચ્ચે તેને ખરાબ લાગે એમ ટોકતા નહીં. ઊલટું તેને જેટલું સમજાવીને પ્રેમથી કામ લઈ શકાય એટલું લો. જો બાળક તમારી વાત માનીને અંગૂઠો ચૂસવાની આદત છોડે એટલે કે એકાદ દિવસ કે અમુક કલાકો અંગૂઠો ચૂસ્યા વગરના વિતાવે તો તેને વખાણો. તેની પ્રશંસા કરો. બાળક અંગૂઠો કેમ ચૂસે છે એના મુખ્ય કારણને પકડો. જો કોઈ પ્રકારની ઇનસિક્યૉરિટી હોય, અસંતોષ હોય તો પહેલાં એને દૂર કરવા મહેનત કરો. જો બધું જ કર્યા છતાં 5થી 6વર્ષની ઉંમર પછીથી પણ બાળક અંગૂઠો ચૂસ્યા કરે તો કોઈ નિષ્ણાત પાસે તેને લઈ જવું જોઈએ. તેને કોઈ બિહેવિયરલ પ્રૉબ્લેમ હોઈ શકે છે અથવા કોઈ માનસિક પ્રૉબ્લેમ પણ હોય એવું બને.

13 April 2015